Tuesday, 5 April 2022

The old man and the sea by Earnest Hemingway

Man is not made for defeat. A man can be destroyed but not defeate."(p.89)
'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી' નો નાયક શરીરે વૃદ્ધ દેખાય છે;પરંતુ એના અણુ અણુમાં વહેતું સાહસ,એની આત્મીયતા એને સાગર સમોવડો બનાવે છે.' Everything about him was old except his eyes and they were the same colour as the sea and were cheerful and undfeated'. સાગર ને પરાજય સ્વીકાર્ય નથી તેમ આ વૃદ્ધને પણ પરાજય સ્વીકાર્ય નથી. અને તેથી જ તો નિષ્ફળતાઓની પરંપરા સર્જાયા છતાંય જરાય હાર કબુલવા એ તૈયાર નથી. ખાલી હાથે ફરવું એ જાણે એનો નિત્યક્રમ થઈ ગયો."But he thought , i should keep them with precision-only i have no luck anymore. But who knows? may be today.#Everyday day is a new day. It is better to be lucky but i would rather be exact. then when luck comes you are ready".
જિંદગીની ગહનતા આ એકજ વાક્યમાં છે કે Every day is a new day.પ્રારબ્ધથી પછડાયેલા છતાં એની જરાય કટુતા કે રંજ વગરના વૃદ્ધની આ મક્કમ અભિવ્યક્તિ છે.
વૃદ્ધ મોટી તો શું નાની માછલીય પકડી શકે તેમ નથી છતાંય તેની મક્કમતાએ પુરવાર કર્યું કે પુરુષાર્થ હોય ત્યાં પ્રારબ્ધને આવવું પડે. દુશ્મન ને પકડ્યા પછી સાંતીયાગો એને પ્રેમ કરતો..."Fish, i love you and respect you very much but i will kill you dead before this day ends"(p.45) દુશ્મનનો આદર જાણનારો વૃદ્ધ આશ્ચર્યજનક છે. 'I am a strange old man'.
માણસ ખેદાનમેદાન થઈ જાય પરંતુ હાર સ્વીકારે ખરો? એ હાર માને જ નહીં.સાગર અને આકાશ ને નાથનારો માણસ તો અપરાજય જ કહેવાય.
- સમુદ્ર મુસાફરીમાં જરૂરિયાત વિના વાત ન કરવી તે એક સદગુણ ગણાતો અને વૃદ્ધ પુરુષ તો હંમેશા એવું માનતો હતો અને તેનો આદર કરતો હતો.
-જ્યારે પોતે માછલીને કાંટામાં ફસાવી છે ત્યારે પોતે જ મોનોલોગ કરે છે કે ....તે જાણે છે તે કેટલી મોટી માછલી છે? શું ખરેખર તે જાણતી હશે કે પોતે એક વૃદ્ધ અશક્ત જર્જરિત બુઢ્ઢો છે? આમ કહીને સાંતિયાગો પોતાની શક્તિનો દુશ્મનને અંદાજ નથી અથવા દુશ્મન પોતે પરાક્રમી ને શક્તિશાળી છે એ પોતાની તાકાતથી વાકેફ નથી એવું જણાવે છે.
- વૃદ્ધ સાંતીયાગો જીવનનું ઊંડાણ બહુ સરળ શબ્દોમાં સમજાવી જાય છે...બધાજ હથિયાર ને ફાંસાથી દુર રહી ઊંડા પાણીમાં રહેવું એ માછલીનો માર્ગ હતો અને આ બધાજ ફાંસાઓ સાથે હથિયાર સાથે એની પાછળ એના જ રસ્તે એનીજ જગ્યાએ જવું એ મારો માર્ગ છે. ટૂંકમાં લક્ષ્ય બન્નેનું એક છે બસ ઈરાદો અલગ છે.
-"તે મોટી માછલી છે અને મારે તેને સમજાવવી પડશે, એણે વિચાર્યું. મારે તેને તેની શક્તિનું ભાન ક્યારેય ન થવા દેવું જોઈએ અથવા તો તે દોડી જાય તો તે શું કરી શકે તેનુંય ભાન તેને ન થવા દેવું જોઈએ."
- જ્યારે જીવન રસ્તો બતાવે ત્યારે મનુષ્ય તેના ઉપર ભરોસો નથી કરી શકતો જ્યારે વૃદ્ધ આ જીવન ઉપર પૂરો ભરોસો મુકવાનું શીખવે છે જ્યારે તકલીફો આવે છે તો બહાદુરી પૂર્વક સામનો કરવાનું સૂચવે છે."માર્ગ પર તરે જાવ અને જ્યારે મુસીબત આવે ત્યારે તેનો સામનો કરો. "
-"આશા ના રાખવી તે મુર્ખામી છે, એણે વિચાર્યું. ઉપરાંત હું માનું છું કે નિરાશા તે પાપ છે"

No comments:

Post a Comment