Thursday, 27 May 2021

બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી

શૂન્ય થી આરંભાઈ ને એક પર અટકેલ જીવની.........
"આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એકજ છે. પહેલો પુરુષ એકવચન,એ બીજો નથી, એ અદ્વિતીય હોય અથવા ના હોઈ શકે પણ એનો અદ્વિતીય નથી,એના અંગુઠાની છાપ,એના અક્ષરોના મરોડ,એના અવાજની ગહરાઇ,એના ચહેરા ની રેખાઓ, એના અનુભવ નો ગ્રાફ, એના ભૂતકાળ ના ઉભાર, એના રક્તસંબંધો અને દિલસંબંધો ,એનું પતિત્વ-પિતાત્વ-અને સ્વત્વ અને અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે જ્યારે એ કહી શકે છે: એકો અહં,દ્વિતીયો નાસ્તિ ...ન ભૂતો ન ભવિષ્યતિ...
હું એક જ છું. મારા જેવો બીજો નથી. ભૂતકાળમાં હતો નહીં, ભવિષ્યમાં થશે નહીં....."
આ શબ્દો છે આપણા પુરા 512 પાના ના દળદાર આત્મકથા વૃતાંત ના લેખક ચંદ્રકાંત બક્ષીના. 22મી ઓગસ્ટ પાલનપુર માં કેશવલાલ બક્ષી ના ઘરે જન્મેલા.

  • 1953 થી 1956 રેડીમેડ કપડાં ની દુકાન. અલકા સ્ટોર નો પ્રારંભ. (જે સ્ટોર એમણે બાર વર્ષ ચલાવ્યો)
  • 1970 પેલી જૂનથી લેક્ચરર તરીકે નોકરી શરૂ કરી.
  • 1972 ' કુત્તિ' વાર્તા માટે કેસ ગુજરાત સરકાર દ્વારા કેસ થયો..
  • 1980 26 મી જૂન ,સાંતાક્રુઝની સાધના એજ્યુકેશન સોસાયટીની કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ના પ્રિન્સિપાલ

           (જ્યાંથી પુરા બે વર્ષ રાખીને કાઢી મુકવામાં આવેલ)

બક્ષીનામા એવા ગુજરાતી ની વાત છે જેણે 19 મી સદીનો અંત અને 21મી નો આરંભ જોયો છે.

બક્ષી પોતાના બક્ષી પરિવાર ને યાદ કરતા લખે છે કે ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે એક કાળ હોવો જોઈએ સ્મૃતિકાળ.
પોતાના લખાણ માં હંમેશા નીડર રહેનાર બક્ષી કહે છે કે ગુજરાતી સાહિત્યના ઇનામો તેજસ્વી લોકો માટે નથી, ડફફરો માટે છે, ડોસાઓ માટે છે,ડોબાઓ માટે છે અથવા ડાઈનિંગ ટેબલની નીચે આંખો ફાડીને અપેક્ષાથી જોઈ રહેલા પરિવાર ના પાળેલા કત્તાઓ માટે છે.
બક્ષી નો જીવન ને જોવાનો દ્રષ્ટિકોણ અલગ અને બહાદુર હતો. પોતાનું શરીર સૌષ્ઠવ જાળવણી કરવી જોઈએ એવું તેઓ માનતા. પોતે પાઇપ પીવાના શોખીન.



તેઓ ગુજરાતી પ્રજા ને માયકાંગલી ,લુચ્ચી અને ઠગનારી પ્રજા કહેતા.ગુજરાતી હમદર્દ પ્રજા નથી.દોસ્તાના નિભાવનારી પ્રજા નથી. ખુવાર થઈ જવાની ખુમારી સમજવાનું એમના ખૂનમાં નથી.
"આજ કાલ ના ગુજરાતી વછેરા લેખકો 'લોકેશન' પર જઈને જોયા વિના લખી શકતા નથી. કરુણાતા એ છે કે સ્થળો પર જઈને પણ એઓ જે નવલકથાઓ લખે છે અથવા લખી શકે છે એની ગુણવત્તા વપરાયેલા સેનેટરી ટોવેલો થી વધારે નથી."

"લેખકો લેખકોને સ્થાને છે.મેં એમને ક્યારેય બહુ મહત્વ આપ્યું નથી. આ ગુજરાતી સાહિત્ય એક ખુલ્લી દુનિયા છે. જેનું જેવું આવડ્યું છે એવું એણે લખ્યું છે. શરીર અને દિમાગ અને આંખો અને આંગળીઓ ચાલે છે ત્યાં સુધી લખ્યું છે, પણ લેખન ઉપર
જીવન છે અને જીવન ને મેં હંમેશા પ્રાધાન્ય આપ્યું છે."


"બક્ષીનામા મારા 54 વર્ષ ના અને 169પુસ્તકોના સાહિત્યિક જીવન માં નાભિની ભૂમિકામાં રહ્યું છે - રહેશે.